આદિલ મન્સૂરી અને જલન માતરીને વલી ગુજરાતી એવોર્ડ
મ્હેકે ભલે ને સ્પર્શનાં ફૂલોની ચાંદની
આંખોથી અંધકારનું રેશમ સરી નજાય
***
સ્પર્શી લે છેક મૌનનાં તળિયાને આજ તો
વાણી,અવાજ,શબ્દ સ્વરથી બહાર આવ
ઉર્દૂના આદ્ય કવિઓમાંના એક અને અમદાવદમાં જીવન ગુજારનાર અને શાહીબાગ પાસે અંતિમ વિસામો પામનાર કવિ વલી ગુજરાતીની સ્મૃતિમાં સ્થપાયેલ વલી ગુજરાતી અકાદમી દ્વારા દર વર્ષે એક ગુજરાતી ગઝલકારને ગઝલક્ષેત્રે તેમણે અર્પેલાં પ્રદાન ને અનુલક્ષીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ આપવામાં આવે છે.
સન 2007ના એવોર્ડ માટે અમદાવાદ સ્થિત ગઝલકાર જલન માતરી અને સન 2008ના એવોર્ડ માટે ન્યુ જર્સી(અમેરિકા) સ્થિત આદિલ મન્સૂરીની પસંદગી જાહેર કરતાં સાંસ્કૃતિક મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે આ દ્વારા ગુજરાત સરકાર ઉર્દૂ_ગુજરાતી ભાષા સાહિત્યની કદર કરી,પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છે.
ન્યુ જર્સીથી કવિ આદિલ મન્સૂરીના આગમને ,18મી મે ,2008 ને રવિવારે સાંજે ભાઈ કાકા હૉલ,અમદાવાદમાં યોજાનાર ભવ્ય સમારંભમાં બન્ને ગઝલકારોને આ એવૉર્ડની ની અર્પણવિધિનું આયોજન કરાયું છે.
આ પહેલાં આ એવોર્ડ 104 વર્ષીય બુઝુર્ગ શાયર શ્રી આસિમ રાંદેરી અને શ્રી રતિલાલ અનિલને અર્પણ કરાયા છે.તે બન્ને શાયરો સુરતનાં હતા.અને આ બન્ને શાયરો અમદાવાદનાં છે.
એવોર્ડ અને યોજાનાર સમારંભની જાહેરાતથી ગુજરાતી ગઝલનાં વાતાવરણમાં હલચલ વર્તાઈ રહી છે.
(‘બઝમે વફા’તેમજ ‘બાગે વફા’ગુજરાતી,ઉર્દૂ_હિન્દી જનાબ આદિલ મન્સૂરી સાહેબ અને જનાબ જલન માતરી સાહેબને આ એવૉર્ડની ખૂશીમાં સહભાગી થઇ મુબારકબાદી અર્પેછે.અને અલ્લાહ જલ્લેશાનથી દીર્ઘાયુ અને તંદરુસ્તીની દુઆ ગુજારે છે.)

They really deserve it.
By: Mukund ''MADAD'' on April 29, 2008
at 10:02 am
Aadil mansuri an jalan matri sahab aa award melavva mate na khara haqdar hata.
Shradhdha no ho vishay to puravani shi jarur,
Quran mato kyay pegambar ni sahi nathi.
– Jalan Matri
Samay pn sambhleche be gadi rokai ne Adil,
jagat namanch par jyare kavi nu maun bole che.
– Adil Mansuri
By: MANSURI TAHA on June 29, 2008
at 5:36 am
I have heard of his passing.I have never heard his ghazal. i would love to hear one?
By: nilam on November 7, 2008
at 6:56 pm